
વાંસને લીલું સોનું કહેવામાં આવે છે. વાંસની ખેતી દ્વારા બંજર જમીનને પણ ફળદ્રુપ બનાવી શકાય છે. બીજી તરફ તેની ખેતીમાંથી સારો નફો પણ મેળવી શકાય છે. આવી સ્થિતિમાં હવે સરકારે પણ વાંસની ખેતી પર 50% સબસિડી આપવાની જાહેરાત કરી છે.
પહેલા જાણો એવા ખેડૂતને જે વાંસની ખેતી કરીને કરોડપતિ બન્યા
મહારાષ્ટ્રના ઉસ્માનાબાદના નિપાણી ગામના ખેડૂત રાજ શેખર પાટીલે પોતાના ખેતરની આસપાસ 40 હજાર વાંસના વૃક્ષો વાવ્યા હતા. અને માત્ર 2 થી 3 વર્ષમાં 40 હજાર વાંસમાંથી 10 લાખ વાંસનું ઉત્પાદન થયું હતુ. ધીમે ધીમે લોકો તેમની પાસેથી વાંસ ખરીદવા આવવા લાગ્યા.
પ્રથમ વર્ષમાં તેમણે 1 લાખ રૂપિયાના વાંસનું વેચાણ કર્યું હતું. પછીના બે વર્ષમાં તેમણે આ જ વાંસમાંથી 20 લાખ રૂપિયાનો નફો કર્યો. આ પછી તેણે પોતાની 30 એકર જમીનમાં વાંસ ઉગાડવાનું શરૂ કર્યું. અને હવે તે 54 એકર જમીનના માલિક બની ગયા છે અને વાંસની ખેતી કરીને કરોડપતિ બની ગયા છે.
સરકાર વાંસની ખેતીને આપે છે પ્રોત્સાહન
કેન્દ્ર સરકાર નેશનલ બામ્બુ મિશન યોજના લઈને આવી છે. જે અંતર્ગત બેરોજગાર યુવાનો અને ખેડૂતોને વાંસ ઉગાડવા માટે 50 ટકા સબસિડી આપશે. બીજી તરફ, નાના ખેડૂતોને પ્રતિ પ્લાન્ટ 120 રૂપિયાની સબસિડી આપશે. આ દરમિયાન વન વિભાગ પણ વાંસના છોડ ઉપલબ્ધ કરાવશે.
જુલાઈમાં થાય છે વાંસનું વાવેતર
વાંસની ખેતીનું વાવેતર જુલાઈ મહિનામાં જ કરવામાં આવે છે. વાંસ તેનો સંપૂર્ણ વિકાસ બે મહિનામાં કરે છે. વાંસનુ કટિંગ તેના ઉપયોગ પર આધાર રાખે છે. જો બાસ્કેટ બનાવવા માટે વાંસની જરૂર હોય તો 3-4 વર્ષ જૂનો વાંસ ઉપયોગમાં લેવાય છે અને વધુ મજબૂત વાંસ માટે 6 વર્ષ જૂના વાંસની જરૂર પડે છે. વાંસની લણણી ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં કરવામાં આવે છે. જો તમે પણ ખેતીને ફળદ્રુપ બનાવવા માંગો છો તો વાસંની ખેતી જરૂર કરો...
gujju news channel - business news in gujarati - gujarati news